જી-૨૩ સમુહ ની મિટીંગ
કોંગ્રેસ પાર્ટી માં સીડબલ્યુસી મિટીંગ માં કોંગ્રેસી પરંપરા પ્રમાણે સોનિયા ગાંધી માં વિશ્વાસ વ્યક્ત કરી સર્વે નિર્ણયો તેમને જ લેવાનું જણાવાયું હતું. ત્યાર બાદ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે ગાંધી પરિવાર ને કોંગ્રેસ ની ગાદી છોડી યુવાનો ને તક આપવા સલાહ આપી હતી. ત્યાર બાદ કોંગ્રેસ માં અસંતુષ્ઠો ના જૂથ જી-૨૩ સમુહ ના નેતાઓ ગુલામ નબી આઝાદ ના ઘરે મિટીંગ ક ૨ ૧ હતી. અ . મિટીંગ વાસ્તવ
માં કપિલ સિબ્બલ ને ત્યાં યોજાવા ની હતી. પરંતુ કપિલ સિબ્બલ ના ગાંધી પરિવાર ઉપર આક્ષેપો બાદ મિટીંગ નું સ્થળ બદલી ને ગુલામ નબી આઝાદ ના ઘરે મળ્યા હતા. જી-૨૩ સમુહ ની આ ડિનર મિટીંગ માં બળવાખોર મનાતા કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મનિષ તિવારી, શશિ થર, ભૂપિન્દરસિંહ હુડ્ડા, પૃથ્વીરાજ ચૌહાણ અને અખિલેશ પ્રસાદ જેવા નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે પ્રથમ વાર આ મિટીંગ મા સામેલ થનારાઓ માં મણિશંકર ઐય્યર, શંકરસિંહ કહેવા માં આવ્યું છે કે ભાજપા ને ૨૦૨૪ માં પડકાર આપવા એક મજબૂત વિપક્ષ ની જરુર છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સમાંતર વિચારધારા ધરાવતા પક્ષો સાથે વાતચીત કરે. આ પત્ર ઉપર આનંદ શર્મા, ગુલામ નબી આઝાદ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી ની મુલાકાત કરશે. આ બેઠક દરમિયાન રાહુલ અને પ્રિયંકા પણ હાજર રહેવા ની સંભાવનાઓ છે.આ જ બેઠક માં હાઈકમાન્ડ અને આઝાદ વચ્ચે જી-૨૩ સમુહ ઉપર પણ આખરી નિર્ણય લેવાઈ શકે છે.જો કેસિબ્બલ ના નિવેદન બાદ છત્તી ગઢ ના કોંગ્રેસી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ એ કોંગ્રેસ ને નબળી પાડવા અમુક લોકો જોતરાયા છે તેમ કહ્યું હતું. જ્યારે આજે રાજ્યસભા માં | વિપક્ષ ના નેતા મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું હતું કે કપિલ સિબ્બલ એક સારા વકીલ હોઈ શકે, પરંતુ તેઓ નેતા નથી.