કોમી રમખાણો ભડકાવવા નું ષડયંત્ર ર

નુપૂર શર્મા ની ટિપ્પણી થી તથાકથિત મોહમ્મદ પયગંબર ની અવમાન ના મામલે ભારત માં અમુક કટ્ટરતાવાદી મુસ્લિમ સંગઠનો, ઓવૈસી ની પાર્ટી જેવી લઘુમતિ તુષ્ટિકરણ માં રાચતી રાજકીય પાર્ટીઓ, વામપંથી અને લૂટિયન્સ ઈકો સિસ્ટમે આ મામલે દેશ માં રમખાણો ભડકાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત ને બદનામ કરવા પ્રવૃત્ત છે. જ્ઞાનવાપી વિવાદીત સંકુલ ઉપર ટીવી ન્યુઝ ચેનલ ઉપર ચાલી રહેલી ચર્ચા દરમ્યાન મુસ્લિમ સમુદાય ના પ્રવક્તા તસ્લીમ રહેમાની દ્વારા વારંવાર હિન્દુઓ ની આસ્થા ને ઠેસ પહોંચાડતા અને હિન્દુઓ જેમને દેવાધિદેવ મહાદેવ માને છે, તેમની ઉપર અભદ્ર ટિપ્પણી કરતા નુપૂર શર્મા નું ઉશ્કેરાવુ સ્વાભાવિક હતું. બ્રાહ્મણ હોવા ના નાતે મહાદેવજી તેમના આરાધ્યદેવ, પિતાતુલ્ય છે અને કોઈ પણ માણસ આવી આદરણીય વ્યક્તિ માટે કેટલુ અપમાન સહી શકે ?પ્રત્યુત્તર માં નુપૂર શર્મા એ જે કાંઈ કહ્યું, તે તેમના જ ધર્મગ્રંથો માં લખેલુ સત્ય છે. અત્યારે દેશભર માં અને વિશ્વભર માં નુપૂર શર્મા સામે જે હોબાળો ચાલે છે તેમાં પાયા નોપ્રશ્ન એ છે કે નુપૂર શર્મા એ શું કહ્યું હતું ? શું તેમણે કોઈ એવી વાત કરી હતી જે સત્ય ન હોયઅનેમાત્ર કોઈ ની ધાર્મિક આસ્થાનેચોટ પહોંચાડવા કહેવાઈ હોય ? જો આમ હોય તો તે અવશ્ય ગુન્હેગાર છે અને તેની સામે ભારતીય બંધારણ પ્રમાણે કાયદાકીય રીતે કામ ચલાવવુ જોઈએ. પરંતુ કાયદો હાથ માં લઈ ને જાહેર સંપત્તિ ને નુક્સાન પહોંચાડવું, કે નુપૂર શર્મા ને હાથ-પગ કાપી નાખવા, સર કલમ કરવા કે બળાત્કાર કરવા નું આહ્વાહન કરવું કયા સભ્ય સમાજ ની નિશાની છે ? જો નુપૂર શર્મા ગુન્હેગાર હોય તો તસ્લીમ રહેમાની તેના થી અધિક મોટો ગુન્હેગાર છે. કયા મૌલવી, મૌલાના, મુસ્લિમ સમુદાય ના ઠેકેદાર બનતા ધાર્મિક કે રાજકીય નેતાઓ તસ્લીમ રહેમાની ની ટિપ્પણી ની ટીકા કરી
તેને સજા નું આહ્ધાહન કર્યું ? શું મુસ્લિમો ની ધાર્મિક લાગણી દુભાય છે તો ૮૫ કરોડ હિન્દુઓ ની ધાર્મિક લાગણીનું શું ? તે અંગે કોઈ ઓવૈસી કે મુલ્લા મુલાયમ ના વંશજો કે આખા હિન્દુસ્તાન ઉપર મિટ્ટી કા તેલ છિડકા હુઆ હૈ, બસ એક તિલી લગ ગઈ, દેશ સુલગ ઉઠેગા કહેનાર નકલી ગાંધી મામલે મૌન છે ? શું એક પણ આરબ દેશ કે એઆઈસી હિન્દુઓ ની ધાર્મિક લાગણી બાબતે એક હરફ ઉચ્ચાર્યો છે ખરો ? અને જો ના તો તેમના નિવેદનો ની હિન્દુઓ ને કે હિન્દુસ્તાન ની સરકારે પણ શું કામ પરવાહ કરવી જોઈએ ? જો કે વાસ્તવ માં આ બનાવ ને હિન્દુસ્તાન ના અને બહાર ના અમુક પરિબળો નકલી ગાંધી ના નિવેદન અનુસાર તિલી લગાવી દેશ ને સળગ- 1વવા માં જ રસદાખવતા હતા. આથી જ કોમી લાગણી ઉશ્કેરતા નિવેદનો આવા લોકો દ્વારા કરાવા ઉપરાંત અન્ય ઘણા પરિબળો એપણ આગ માં ઘી હોમવા નું કામ કર્યું. જેમ કે કોરોના મહામારી ને ભારત સરકારે જે વ્યવસ્થિત રીતે હાથ ધરી તેના થી સમગ્ર વિશ્વ માં થયેલી મોદી સરકાર ની વાહવાહી થી ઈર્ષ્યા કરતા દેશ ની અંદર ના અને અમુક વિદેશી પરિબળો, મહામારી બાદ પણ જ્યાં આખા વિશ્વ ની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ત્યારે સમગ્ર વિશ્વ માં સર્વાધિક જી.ડી.પી. સાથે વિકાસ સાધતા ભારત ની અદેખાઈ કરતા તત્વો, રશિયા-યુક્રેન યુધ્ધ મામલે પણ અમેરિકા, નાટો દેશો કે યુરોપિયન દેશો ની શેહ માં આવ્યા વગર પોતાની તટસ્થ વિદેશ નિતી ઉપર અડગ રહેલું ભારત ઘણા ને આંખ માં ખૂંચવું સ્વાભાવિક હતું. ઈરાક ઉપર યુનો ની મંજુરી વગર જ આક્રમણ કરી દેન- 1રા અમેરિકા, બ્રિટન સહિત ના નાટો દેશો એ રશિયા ઉપર લાદેલા આર્થિક પ્રતિબંધો ની પરવા કર્યા વગર વૈશ્વિક સ્તરે યુધ્ધ ના કારણે ક્રૂડ ના ભાવથી પોતાના દેશ ની જનતા ને રાહત આપવા રશિયા પાસે થી સસ્તા ભાવે ફ્રૂડ ખરીદતા ભારત થી અમેરિકા, નાટો, યુરોપિયન દેશો ઉપરાંત આરબ દેશો નું પણ નારાજ થવું સ્વાભાવિક હતું. તદુપરાંત આઝાદી ના ૭૫ વર્ષો બાદ પ્રથમવાર પોતાની મજબૂત અને અસરકારક વિદેશ નિતી થી વડાપ્રધાન મોદી ની વિશ્વ ના અન્ય તમામ રાજનેતાઓ ને પાછળ છોડી ને વિશ્વ ના




Leave a Reply

Your email address will not be published.