રાષ્ટ્રપિતા નું અપમાન
કેનેડા માં ઓન્ટારિયો ના રિચમંડ હિલ વિસ્તાર માં વિષ્ણુ મંદિર ખાતે પ્રસ્થાપિત ભારત ના રાષ્ટ્રપિતા અને અહિંસા ના પૂજારી મહાત્મા ગાંધી ની પ્રતિમા ક્ષતિગ્રસ્ત કરવા ઉપરાંત અસામાજીક તત્વો એ પ્રતિમા ના પ્લેટ- ફોર્મ ની દિવાલ ઉપર રેપિસ્ટ લખવા ઉપરા- ત પોતાની ઓળખ અને માનસિકતા છતી કરતા ખાલિસ્તાન ઝિંદાબાદ ના સૂત્રો પણ લખ્યા હતા. સિચમંડ હિલ વિસ્તાર માં ગાન એવન્યુ અનેયંગ સ્ટ્રીટ વિસ્તાર માં આવેલા સુબ્રસિધ્ધ વિષ્ણુ મંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે ના આ શરમજનક અને કાયરતાપૂરણ કુત્ય થી સમસ્ત કેનેડા ની ભારતીય મૂળ ના હિન્દુ સમુદાય ની લાગણી દુભાઈ હતી. આ થટના ની જાણ યોર્ક રિજ્યોનલ પોલિસે કરતા પ્રથમ, નજરે આ થટના ને હેટકાઈમ ગણવી હતી અને તેને અસ્થિકાર્ય ગણાવતા તપાસ આરંભી દોષિતો ને પકડી પાડવા કાર્યવાહી શરુ કરી હોવા નું જણાવ્યું હતું. આ ઘટના ની જાણ થતા દેશ મંત્રાલય એ કેનેડા ના સમકકષો સમક્ષ આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરવા ઉપર- 1ત તલસ્પર્શી તપાસ ની પણ માંગ કરી હતી. જ્યારે ટોરેન્ટો ખાતે ના ભારતીય દૂતાવાસે આ નિંદનીય ઘટના ને પગલે પરેશાની વ્યક્ત કરતા તેને કેનેડા માં વસતા ભારતીય સમુદાય ની ભાવના ને ઠેસ પહોંચાડનારા હોવા નું જણાવ્યું હતું. આ ઉપરાંત મામલા ની તપાસ અંગે તેઓ તપાસ અધિકારીઓ ના સંપર્ક માં હોવા નું પણ જણાવ્યું હતું. યોર્ક પોલિસ, ના પ્રવક્તા એ કોઈ પણ રીતે હેટ ક્રાઈમ ને ચલાવી લેવાશે નહીં તેમ જણાવ્યું હતું. જે લોકો રંગભેગ, શષ્ટ્રીયત, જાતિમૂળ, ભાષા, ધર્મ, હિંગ કે રંગ ના આધારે બીજા ને પરે- શાન કરે છે તેની સામે કેસ ચલાવવા માં આવશે. ગ્રેટર ટોરેન્ટો વિસ્તાર માં ખાલિર ।ની ઉપદ્રવીઓ આ અગાઉ પણ કૃષિ આંદોલન વખતે વડાપ્રધાન ના પૂતળા અને ફોટા સાથે અપમાનજનક વ્યવહાર કરવા ઉપરાંત કુ ષિ ક્રયદા ના સમર્થન અને કોવિડ વેક્સિન શ્રોક્લવા બદલની અભિનંદન રેલી ઉપર પણ આકમક હુમલા, અપશબ્દો અને રાષ્ટ્રજ નું અપમાન તથા ગુજરાતી યુવક ઉપર શારિરીક હુમલો પણ કરાયો હતો. આ ઉપરાંત અગાઉ જીટીએ વિસ્તાર માં હિન્દુ બંદિરો ને ટાર્ગેટ કરી ૧૦ દિવસો માં છ મંદિરો માં ચોરી કરતા પકડ- [થેલા આરોપીઓ પણ પંજાબી શિખ સંપ્રદાય ના જ હતા.